|
નાગરીક સુવિધા કેન્દ્ર.
નાગરિક અધિકારપત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં ''નાગરીક સુવીધા કેન્દ્ર" ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ હતુ. જે સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટ ઉપરાંત લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થયેલ છે. જે ''નાગરીક સુવીધા કેન્દ્ર" તરીકે ઓળખાય છે..
આ કેન્દ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વિગેરે મેળવવા માટેની અદ્યતન વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
નાગરિક અધિકારપત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે. આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીની જનસંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમજ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
ઉપરોક્ત નાગરીક સુવીધા કેન્દ્રનો મુદ્રાલેખ
''નાગરીક સુવીધા કેન્દ્ર" માં આવતા દરેક અરજદાર / નાગરિક ખૂબ જ મહત્વની વ્યક્તિ છે. તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારીત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી, તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.
રાજ્ય સરકાર તરફથી નાગરિક સુવિધા કેન્દ્ર માટે ફાળવેલ ગ્રાન્ટ
|
૫૩ લાખ
|
નાગરિક સુવિધા કેન્દ્રની માહિતી
|
૨૬ આઉટ પોસ્ટ તથા ૨૬ પોલીસ ચોકીઓનું રીનોવેશન
|
ફાળવેલ સાધનો
|
આઉટ પોસ્ટ તથા ચોકીઓમાં એલસીડી ટી.વી., ફર્નિચર, ઇન્ફોર્મેશન બોર્ડ, વોટર કુલર, ઇમરજન્સી લાઇટ, તથા પોલીસ સ્ટેશનમાં ફેક્સ મશીન, સાઉન્ડ સીસ્ટમ, વિડીયો કેમેરા, એન્ટી વાયરસ સોફ્ટવેર
|
|
|