|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૩/૦૭/૨૦૧૫ થી તા.૧૯/૦૭/૨૦૧૫)
મહુધા પોલીસ સ્ટેશન
મહુધા પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નંબર ૨૧/૨૦૧૫ કલાક ૧૯/૪૫ તા.૦૯/૦૭/૨૦૧૫ ના રોજ રાત્રીના સમયે લક્ષ્મીપુરા, તાબે. ચુણેલ ગામના લોકો ડફેરાની અફવાઓ બાબતે તેઓના ગામનો પહેરો કરતા હતા તે દરમ્યાન તેઓએ એક શંકાસ્પદ ઇસમને રોકેલ જે બાબતે અત્રેના પો.સ્ટે. જાણ કરતા ગામે જઇ શંકાસ્પદ માણસનુ નામઠામ પુછતા સુરેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.સાવલી ભાથીજી મંદીર પાસે, સુર્ય નગર કોલોની, તા.સાવલી જી.વડોદરા હાલ રહે.રામપુરા સુઇ ભરત દેસાઇના લાટમાં તા.ઠાસરાનો હોવાનું જણાવેલ અને તેઓના મામા સસરા ભલાભાઇ નાઓ પણસોરા મુકામે મરણ ગયેલા હોય જેથી તેઓ પણસોરા મુકામે ગયેલ અને પોતાની પાસે ભાડાના રૂપિયા ન હોય જેથી પરત પોતાના ઘરે ગયેલ નહીં અને તેઓની સાસરી ગામ અલીણા તાબે.રામનગર ખેતરાળુ ચાલતા ચાલતા જતા હતા તે વખતે ગામના લોકોએ તેઓને રોકેલ તેવુ જણાવેલ. જેથી તેઓના સગા સબંધીઓની ખાતરી કરતા તેઓના ફોઇ કૈલાશબેન જયેશભાઇ વસાવા રહે.રામનગર અલીણા તા.મહુધા નાઓ આવી જતા તેઓને પરત સોંપેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
અત્રેના ડાકોર રણછોડરાયજી મંદિરે તા.૧૭/૦૭/૨૦૧૫ ના રોજ ડાકોર નગરમાં રથયાત્રા નિકળેલ જે દિવસે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવેલ હતા. જે અંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ પગપાળા તથા તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ હતા. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમમાંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે માટે જીલ્લામાંથી વધુ પ્રમાણમાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ફાળવવામાં આવેલ હતા.
|
|