|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૯/૦૬/૨૦૧૫ થી તા.૦૫/૦૭/૨૦૧૫)
ડાકોર પોલીસ સ્ટેશન
અત્રેના ડાકોર રણછોડરાયજી મંદિરે તા.૦૨/૦૫/૨૦૧૫ ના રોજ પુનમ ના દિવસે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ પગપાળા તથા તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમમાંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે માટે જીલ્લામાંથી વધુ પ્રમાણમાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ફાળવવામાં આવે છે.
|
|