|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૫/૦૮/૨૦૧૪ થી તા.૩૧/૦૮/૨૦૧૪)
ખેડા ટાઉન ના પ્રોહિ.બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી એલ.સી.બી.ખેડા-નડીયાદ પોલીસ
ઠાસરાના પ્રોહિબિશન બુટલેગર વિક્રમભાઇ પુનમભાઇ ઉર્ફે પુનાભાઇ પરમાર રહે, ખાંધલવાળુ ફળીયુ માલવણ તા. ગળતેશ્વર જી. ખેડા-નડીયાદ નાઓ વિરૂદ્ધ ઠાસરા પો.સ્ટે. (૧) પ્રોહિ. ગુ.ર.નં. ૪૬૪/૧૨ પ્રોહિ. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૬૭એ, ૧૧૬બી (૨) પ્રોહિ. ગુ.ર.નં. ૨૫૦/૧૪ પ્રોહિ. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૬૭એ, ૧૧૬બી મુજબના ગુનાઓ નોંધાતા પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરાવડાવી જીલ્લા મેજી.શ્રી, ખેડા-નડીયાદ નાઓને મોકલી આપેલ. જે અન્વયે જીલ્લા મેજી.શ્રી કે.કે.નીરાલા સાહેબ નાઓએ તેઓના હુકમ નં પી.ઓએલ(૧)/પાસા/એસઆર/૩૨/ ૨૦૧૪ તા.૦૨/૦૮/૨૦૧૪ અન્વયે ઠાસરાના પ્રોહિબિશન બુટલેગર વિક્રમભાઇ પુનમભાઇ ઉર્ફે પુનાભાઇ પરમાર રહે, ખાંધલવાળુ ફળીયુ માલવણ તા. ગળતેશ્વર જી. ખેડા-નડીયાદ નાઓની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા એલસીબી પો.ઇન્સ.શ્રી એમ.એ.ચૌધરી નાઓએ આજરોજ તા.૨૧/૦૮/૧૪ ના રોજ માલવણ મુકામેથી અટકાયત કરી જીલ્લા જેલ જામનગર મુકામે મોકલવા તજવીજ કરેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૩૧/૦૮/૨૦૧૪ ના રોજ રવીવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
|
|