ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૧૪/૦૪/૨૦૧૪ થી તા.૨૦/૦૪/૨૦૧૪)
એલ.સી.બી. ખેડા-નડીયાદ
ઠાસરા તાલુકાના કુણી ગામે જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી
તા.૧૬/૦૪/૨૦૧૪
આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી આવતી હોય જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ આપેલ સુચના મુજબ એલ.સી.બી.પો.ઇન્સ.એમ.એ.ચૌધરી સા.ની સુચના મુજબ એલ.સી.બી.પો.સ.ઇ.શ્રી ડી.આર.ગોહીલ નાઓ સ્ટાફના એ.એસ.આઇ. યાકુબમીયાં તથા હેકો.વિનોદચન્દ્ર તથા પો.કો.રાજેન્દ્રકુમાર તથા પો.કો.રીશીતભાઇ વિગેરેએ તા.૧૫/૪/૨૦૧૪ ના સાંજના સમયે ઠાસરા તાલુકાના કુણી ગામે મસ્જીદ સામે ખુલ્લામાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી છ ઇસમોએ સ્થળ ઉપર ઝડપી પાડેલ (૧) હારુનશા ઇસ્માઇલશા દિવાન રહે.કુણી તા.ઠાસરા (ર) ઝાકીરખાન અકબરખાન પઠાણ રહે.કુણી (૩) જમીયતમીયાં અહેમદમીયાં મલેક રહે.કુણી (૪) રામાભાઇ પ્રતાપભાઇ પરમાર રહે.ટીમ્બાના મુવાડા (૫) અરવિંદભાઇ છોટાભાઇ બાશ્રૈયા રહે.મેનપુરા (૭) રાકેશભાઇ જગભાઇ પરમાર રહે.સેવાલીયા નાઓને રૂ.૧૦,૫૧૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા જડપી પાડેલ આ બાબતે એલ.સી.બી.પોલીસે ઠાસરા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ એ.એસ.આઇ. યાકુબમીયાં અબ્દુલમીયાં ચલાવી રહેલ છે.
ડભાણ ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી.ખેડા નડીયાદ પોલીસ
પ્રેસ નોટ તા.૨૦/૦૪/૨૦૧૪
પોલીસ અધિક્ષક શ્રી સચિન બાદશાહ ખેડા-નડીયાદનાઓએ આગામી લોકસભાની ચુટણીને ધ્યાનમા રાખી પ્રોહિ./જુગારની અશરકારક કામગીરી કરવા સારૂ પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના હેઙકો. સરફરાજહુસેન, પો.કો.વિનોદકુમાર, પો.કો.ભગવાન તથા પો.કો.ચન્દ્રકાંત વિગેરે પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્યાન સાથેના પો.કો.વિનોદકુમાર નાઓની માહીતી આધારે ડભાણ બસ સ્ટેન્ડ સામે, વૃન્દાવન બંગાલાની બાજુમાં આવેલ મકાનમાં રહેતા ગૌરાંગ ઉર્ફે કનુ અંબાલાલ પટેલ ઉવ.૩૯ રહે.ડભાણ બસ સ્ટેન્ડ સામે, ’’વૃન્દાવન બંગલો’’ નાઓના મકાનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતના દારૂની બોટલો નંગ-૧૦ જુદા જુદા માર્કાની કિંમત રૂ.૪,૩૦૦/- નો જથ્થો કબજે કરી આરોપી વિરૂધ્ધ નડીયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહી એકટ ક.૬૬(૧) બી, ૬૫ એ,ઇ, ૬૭ એ,૧૧૬ બી મુજબ પો.કો. વિનોદકુમાર નાઓએ ફરીયાદ આપેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે તા.૨૦/૦૪/૨૦૧૪ ના રોજ ફાગણી પુનમ નિમીતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબ જ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીંગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
|