|
ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા. ૨૪/૦૨/૨૦૧૪ થી તા.૦૨/૦૩/૨૦૧૪)
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર પો.સ્ટે. અત્રેના ડાકોર રણછોડજી મંદિરે તા.૦૨/૦૩/૨૦૧૪ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.
પેરોલ ફર્લો સ્કવોડ ખેડા-નડીયાદ
મોરવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો ફરાર આરોપી ઝડપી પાડતી એબસ્કોન્ડર સ્કવોડ ખેડા-નડીયાદ
ખેડા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી.નાઓએ ખેડા જીલ્લા તેમજ બહારના જીલ્લાના નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપતા તેમની સુચના આધારે એબસ્કોન્ડર સ્ક્વોડના પો.સ.ઇ. પી.ડી.બારોટ તથા તેમના સ્ક્વોડના હે.કો.મજીદખાન અનારખાન તથા પો.કો રાજેશભાઇ પ્રહલાદભાઇ તથા પો.કો. તન્મયભાઇ પાઉલભાઇ વગેરે પોલીસ માણસો સાથે નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં નિકળેલા દરમ્યાન પો.સ.ઇ શ્રી બારોટ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, મોરવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો ફરાર આરોપી શનાભાઇ કાળાભાઇ ગોહિલ રહે, હેરંજ તા.મહુધાનાનો વડવાળી મુવાડી તરફ જવાના રોડ ઉપર ઉભેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે સદર આરોપીનાને વડવાળી મુવાડી તરફ જવાના રોડ ઉપર મળી આવતા તેને મહુધા પો.સ્ટે. સ્ટે.ડા એન્ટ્રી નં.૨૧/૨૦૧૪ કલાકઃ ૨૧/૧૫ વાગે તા.૨૦/૨/૧૪ નારોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે.
|
|