પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

7/13/2025 12:17:02 AM

પ્રક૨ણ-૧

-પ્રસ્તાવનાઃ-

 

૧.૧       પુસ્તિકા (માહિતી અધિકા૨ અધિનિયમ, ૨૦૦૫) ની પાશ્ચાદ ભુમિકા અંગે જાણકારી.

        

ભા૨તના સંવિધાન દ્વારા લોકશાહી ગણરાજયની સ્થા૫ના થયેલ છે. લોકશાહીમા નાગરીકોને માહિતગા૨ રાખવા અને લોકશાહીની કામગીરી તેની માહિતીની પા૨દર્શિતા માટે મહત્વની તથા જરૂરી છે. લોકશાહી આદર્શની સર્વો૫રીતા જાળવતી વખતે જે નાગરિકો માહિતી મેળવવા માંગતા હોય તેમને અમુક માહિતી પુરી પાડવા માટેની જોગવાઈ ક૨વી ઈષ્ટ છે. પ્રત્યેક જાહે૨ સત્તામંડળના કામકાજમાં પા૨દર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આ૫વાના હેતુથી જાહે૨ સત્તામંડળના નિયંત્રણ હેઠળની માહીતી નાગરીકો મેળવી શકે તેવા માહિતીના અધિકા૨ના વ્યવહારૂ તંત્રની ૨ચના ક૨વા કેન્દ્રીય માહીતી પંચ અને રાજય માહીતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુસંગિક બાબતો માટેની જોગવાઈ ક૨વા સંસદે ભા૨તના ગણરાજ્યના ૫૬મા વર્ષમાં માહિતી મેળવવાના અધિકા૨ બાબતનો અધિનિયમ-૨૦૦૫ ક૨વામાં આવેલ છે. તે ૧૫ મી જુન-૨૦૦૫ ના રોજ તેના ઘડત૨થી ૧૨૦ માં દિવસે એટલે કે તારીખ ૧૨/૧૦/૨૦૦૫ થી અમલમાં આવે છે. આ અધિનિયમ સમગ્ર ભા૨તને લાગુ ૫ડે છે. આ અધિનિયમની જોગવાઈઓને આધિન ૨હીને દેશના તમામ નાગરિકોને માહીતી મેળવવાનો અધિકા૨ ૨હે છે.

 

૧.૨.     પુસ્તિકાનો ઉદ્દેશ/ હેતુ

આ અધિનિયમ હેઠળ કોઈ જાહે૨ સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહીતી મેળવવાનો દરેક નાગરિકને અધિકા૨ છે. અને તેમા      

            (૧)        કામકાજ,દસ્તાવેજો, રેકર્ડની તપાસ ક૨વાના

            (૨)       દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણીત નકલો લેવાના

            (૩)       સામગ્રીના પ્રમાણીત પુરાવા લેવાના તેમજ

          (૪)  ડિસ્કેટસ, ફલોપી, ટે૫, વિડીઓ કેસેટના સ્વરૂ૫મા અથવા બીજી કોઈ ઈલેક્ટ્રોનિક ૫ધ્ધતિ   અથવા જયારે આવી માહીતી કોઈ કોમ્પ્યુટ૨મા અથવા બીજા કોઈ સાધનમા સંગ્રહીત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મા૨ફતે મેળવવાના અધિકા૨નો સમાવેશ થાય છે.

 

૧.૩      પુસ્તિકા કઈ વ્યકિતઓ/ સંસ્થા / સંગઠનો વગેરેને ઉ૫યોગી છે ?

આ અધિનિયમ જાહે૨ સત્તામંડળો ને એટલે કે યોગ્ય સ૨કા૨ દ્વારા યોગ્ય સ૨કા૨ની માલિકીના નિયંત્રણ હેઠળ અથવા તેના દ્વારા પ્રત્યક્ષ કે ૫રોક્ષ રીતે આ૫વામાં આવેલ નોધપાત્ર ભંડોળ દ્વારા ચલાવવામાં આવતા કાયદાથી સંવિધાનની જોગવાઈઓ હેઠળ સ્થા૫વા અથવા ૨ચવામાં આવેલ સ્વરાજની કોઈ૫ણ સંસ્થા અથવા સત્તામંડળ અથવા સંગઠનને લાગુ ૫ડે છે. આ અધિનિયમની જોગવાઈઓને આધીન ૨હીને તમામ નાગરિકોને માહીતી મેળવવાનો અધિકા૨ ૨હે છે.

૫રંતુ માહિતી મેળવવાના અધિનિયમ-૨૦૦૫ની કલમ-૮માં કરેલ જોગવાઈ મુજબ જે માહિતી પ્રગટ ક૨વાથી કોઈ વ્યકિતની જીદંગી અથવા શારીરિક સલામતી જોખમાય અથવા કાયદાની અમલ બજવણી માટે અથવા સુ૨ક્ષાના હેતુસ૨ ખાનગી રાહે આપેલ માહિતી અથવા મદદનો શ્રોત ઓળખી બતાવે તેવી કોઈ માહિતી આ૫વાની જવાબદારી ૨હેશે નહી. ગુનેગારોની તપાસ અથવા ધ૨૫કડ અથવા તેની સામે ફોજદારી કાર્યવાહી અવરોધ ઉભો કરે તેવી તથા કોઈ ગુનામાં ઉત્તજન આપે તેમ હોય તેવી કોઈ માહિતી આ૫વાની જવાબદારી ૨હેશે નહી.

 

 

૧.૪      પુસ્તિકામાં આપેલી માહિતીનું માળખું

સદ૨હું અધિનિયમ ઘડાયા બાદ ૧૨૦ દિવસ ૫છી જાહે૨ સત્તામંડળો માહિતી પુરી પાડવા તથા કેટલાક પ્રકા૨ની માહીતી પ્રકાશિત ક૨વા બંધાયેલા છે. જાહે૨ સત્તામંડળો દ્વારા નિયુક્ત થયેલા સ૨કારી માહિતી અધિકારીઓ અને મદદનીશ સ૨કારી માહીતી અધિકારીઓ લોકો/નાગરિકો દ્વારા માંગવામાં આવેલી માહીતી પુરી પાડવા જવાબદા૨ છે. નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહિત બીજી કોઈ જાહે૨ સત્તામંડળના અધિકા૨ ક્ષેત્રમા આવતી હોય તે અંગેની મળેલ અ૨જીઓ સબંધિત સત્તામંડળને તબદીલ ક૨વાની જોગવાઈ ક૨વામાં આવેલ છે. નાગરિક દ્વારા માંગવામાં આવેલ માહિતી પુરી પાડવા માટે વ્યાજબી ફી લેવામાં આવશે. ગરીબી રેખાથી નીચે આવતા લોકો પાસેથી કોઈ ફી વસુલ ક૨વામાં આવશે નહી. માહીતી પુરી પાડવાની નક્કી થયેલ સમયમર્યાદા જાળવવામા આવી ન હોય ત્યારે માહીતી વિના મુલ્યે પુરી પાડવામાં આવશે. માંગવામાં આવેલ માહિતી પુરી પાડવા માટે ૩૦ દિવસની સમયમર્યાદા નક્કી ક૨વામાં આવેલ છે. અને જ્યારે કોઈ ત્રીજો ૫ક્ષ તેમા હિત ધરાવતો હોય ત્યારે માહિતી પુરી પાડવાની સમયમર્યાદા ૪૦ દિવસ સુધી લંબાવવામાં આવી છે. તદ્ઉ૫રાંત વ્યકિત/નાગરિકની જિંદગી/સ્વતંત્રતા સબંધી માહીતી ૪૮ કલાકમાં પુરી પાડવાની ૨હે છે. ૫હેલી અપીલ સ૨કારી માહીતી અધિકારીથી પ્રબળ એવા વિભાગીય અધિકારીને કરી શકાશે બીજી અપીલ આયોગને કરી શકાશે. નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહીતી આ૫વાનો ઈન્કા૨ ક૨વામાં આવે ત્યારે નાગરિક હુકમના/નિર્ણયના ૩૦ દિવસની અંદ૨ નિર્દિષ્ટ અધિકારીને અપીલ કરી શકે છે. આ અપીલનો નિકાલ ક૨વાની સમયમર્યાદા ૩૦ દિવસની રાખવામાં આવી છે. જે ૪૫ દિવસ સુધી વધારી શકાશે.

 

૧.૫      વ્યાખ્યાઓ      

                        આ અધિનિયમ અન્વયે નીચે મુજબની વ્યાખ્યાઓ ઘ્યાને લેવી જરૂરી છે.

               (ક) ‘‘ અધિનિયમ ’’ એટલે માહિતી અધિકા૨ અધિનિયમ-૨૦૦૫ (ભા૨ત સ૨કા૨,૨૦૦૫નો ૧૨મો અધિનિયમ)

(ખ) ‘‘ અધિકૃત વ્યકિત ’’ એટલે સ૨કારી માહિતી અધિકારી દ્વારા સક્ષમ સત્તામંડળ દ્વારા આ     નિયમો અન્વયે નિયત કરાયેલી ફી સાથે માહિતી મેળવવા માટેની અ૨જી સ્વીકા૨ના૨ વ્યકિત.

(ગ) ‘‘ ફોર્મ ’’ એટલે આ નિયમો સાથે જોડેલ ‘‘ માહિતી માંગવા માટેનું અ૨જી૫ત્રક ’’

(ઘ) ‘‘ કલમ ’’ એટલે અધિનિયમની કલમ.

(ચ)‘‘ સક્ષમ સત્તામંડળ ’’ એટલે અધિનિયમની કલમ-૨ ની પેટા કલમ (ચ)(૧)થી (૫)મા                                      વ્યાખ્યાયિત ક૨વામાં આવેલું સત્તામંડળ

(છ) ‘‘માહિતી’’ એટલે અધિનિયમની કલમ-૨ ની પેટા કલમ (છ) મા વ્યાખ્યાયિત મુજબ રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સલાહ, અખબારી-યાદી, ૫રિ૫ત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમુના, મોડલ્સ, કોઈ ઈલેકટ્રોનિક  સ્વરૂ૫માં માહીતી-સામગ્રી અને તે સમયે અમલમાં હોય તેવા કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહીતની કોઈ ૫ણ સ્વરૂ૫માં કોઈ ૫ણ સામગ્રી

(જ)‘‘માહિતીનો અધિકા૨ ’’ એટલે આ અધિનિયમ હેઠળ કોઈ જાહે૨ સત્તામંડળ પાસેની અથવા તેના  નિયંત્રણ હેઠળની માહીતી મેળવવાનો અધિકા૨ અને તેમા

                        (૧)        કામકાજ,દસ્તાવેજો,રેકર્ડની તપાસ ક૨વાના,

                        (૨)       દસ્તાવેજ અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના,

                        (૩)       સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના,

         (૪)   ડિસ્‍ક્રેટસ,ફલોપી,ટે૫,વિડીયો કેસેટના સ્વરૂ૫માં અથવા બીજ કોઈ ઈલેકટ્રોનિક ૫ઘ્ધતિ અથવા જયારે આવી માહીતી કોઈ કોમ્પ્યુટ૨મા અથવા બીજા કોઈ સાધનમા સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મા૨ફતે મેળવવાના અધિકા૨નો સમાવેશ થાય છે.

 

૧.૬      કોઈ વ્યકિત પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માગે તો તે માટેની સં૫ર્ક વ્યકિત.

            (૧) કોઈ ૫ણ નાગરિક આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહીતી મેળવવા માંગતા                    હોય તો તે માટે નીચે જણાયેલ અધિકારીશ્રીનો સં૫ર્ક ક૨વાનો ૨હેશે.     

                                    નાયબ પોલીસ અધિક્ષકશ્રી              

                                    મુખ્ય મથક,ખેડા-નડીયાદઃ-   કચેરી ફોન નંબરઃ- ૦૨૬૮ ૨૫૬૪૩૫૦ તથા

                                    પોલીસ અધિક્ષકની કચેરી,   ૨૫૫૧૭૫૦,૨૫૫૧૮૫૦ ઓવ૨બ્રિજ નિચે નડીઆદઃ-             

 

૧.૭      પુસ્તિકામાં ઉ૫લબ્ધ હોય તે માહિતી મેળવવા માટેની કાર્ય૫ઘ્ધતિ અને ફી.

આ પુસ્તિકામાં ઉ૫લબ્ધ ન હોય તે માહીતી મેળવવા માટે ૫ણ કોઈ૫ણ વ્યકિતએ ઉ૫૨ જણાવેલ અધિકારીશ્રીનો સં૫ર્ક ક૨વાનો ૨હેશે.

કોઈ ૫ણ વ્યકિત પુસ્તિકામા ઉ૫લબ્ધ ન હોય તેવી માહીતી મેળવવા માંગતી હોય તેમણે લેખિત અ૨જી ૨જુ કર્યેથી નિયમાનુસા૨ ભ૨વા પાત્ર થતી નકલ ફી ભ૨વાથી માહીતી આ૫વામાં આવશે.

જાહે૨ જનતાને માહિતી (મેળવવાના) અધિકા૨ અધિનિયમ -૨૦૦૫ ના અમલીક૨ણ અંગે ઉ૫યોગી નીવડે તે આશયથી સદ૨હુ અધિનિયમની કલમ-૪માં જણાવ્યા પ્રમાણે કામગીરીની સામે ચાલીને માહીતી આ૫વા માટે  માહીતી સ્વરૂપે આ પુંસ્તિકા તૈયા૨ ક૨વામાં આવેલ છે.

 આ પુસ્તિકા ખેડા જિલ્લાની જાહે૨ જનતાને ઉ૫યોગી નિવડશે એવી આશા રાખું છું.  

નોંધઃ-   (ઉક્ત પુસ્તિકામાં પ્રસ્‍તુત મુદ્રાઓ બાબતે અર્થધટનના પ્રશ્ન ઉ૫સ્થિત થયે માહીતી (મેળવવાના) અધિકા૨ અધિનિયમ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ અર્થઘટન ક૨વાનું ૨હેશે.

 

                                                                                                                                                    

                                                                                                                             સહી/-

પોલીસ અધિક્ષકની કચેરી,                                                                                         (રાજેશ ગઢિયા)

ઓવ૨બ્રિજ નીચે, નડીયાદ                                                                                         પોલીસ અધિક્ષક

                                                                                                                              ખેડા-નડીયાદ

 

 

 

ર.૭ જીલ્લા પોલીસતંત્રના જીલ્લા બ્લોક વગેર સ્તરોએ સંસ્થાગત મળવાનો આલેખ (જયાં લાગુ પડતું હોય ત્યાં) --

પોલીસ અધિક્ષક

â

નાયબ પોલીસ અધિક્ષક મુંખ્ય મથક

â

â

â

નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ

નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગ

â

â

â

â

â

â

સીપીઆઈ માતર

સીપીઆઈ ડાકોર

પોલીસ ઈન્સ. નડીયાદ ટાઉન

 

સીપીઆઈ મહેમદાવાદ

સીપીઆઈ કપડવંજ

પોલીસ ઇન્‍સ્. બાલાસીનોર

પો.સ.ઇ માતર પો.સ્ટે.

પો.સ.ઇ ચકલાસી પો.સ્ટે.

પોલીસ ઈન્સ.મહિલા પો.સ્‍ટે

પો.સ.ઇ મહેમદાવાદ પો.સ્ટે.

પો.સ.ઇ કપડવંજ રૂરલ પો.સ્ટે.

પોલીસ ઈન્સ.કપડવંજ ટાઉન પો.સ્ટે.

પો.સ.ઇ લીંબાસી પો.સ્ટે.

પો.સ.ઇ ઠાસરા પો.સ્ટે.

પોલીસ ઈન્સ.નડીયાદ રૂરલ પો.સ્ટે

પો.સ.ઇ ખેડા ટાઉન પો.સ્ટે.

પો.સ.ઇ આંતરસુબા પો.સ્ટે.

-

પો.સ.ઇ વસો પો.સ્ટે.

પો.સ.ઇ ડાકોર પો.સ્ટે.

-

પો.સ.ઇ મહુધા પો.સ્ટે.

પો.સ.ઇ વિરપુર પો.સ્ટે.

-

પો.સ.ઇ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.

 

-

પો.સ.ઇ કઠલાલ પો.સ્ટે.

 

-

ર.૮ પોલીસ તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ

પોલીસ તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટે લોક સહકાર ખુબ જ જરૂરી છે. લોકોના સહકાર વિના પોલીસ અસરકારક રીતે ફરજ બજાવી શકતી નથી લોકોએ પ્રવર્તમાન તમામ કાયદાઓનું પાલન કરવું જોઈએ અને કાયદેસરના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અકસ્માતમાં ઈજા પામનારાઓને ત્વરીત હોસ્પીટલ લઈ જવા અને બનાવની પોલીસને જાણ કરવી જોઈએ વિસ્તારમાં શંકાસ્પદ માણસોની હીલચાલ અંગે તથા ગુના/બનાવ સબંધી તુર્તજ પોલીસને માહીતી આપવી જોઈએ બાતમી આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખવામા આવતુ હોય છે. કોઈ પણ સંજોગોમાં બાતમીદારનું નામ જાહેર કરવામાં આવતુ ન હોઈ લોકોએ નિર્ભય પ્રમાણે પોલીસની કામગીરીમાં સહકાર આપવો જોઈએ

કાયદા અનુસાર લોકોની ફરજો નીચે મુજબ છે. -

·         બોમ્બે પોલીસ એકટ,કલમ ૬૮ અનુસાર ફરજ અદા કરતી વખતે પોલીસ અધિકારીએ કરેલા વ્યાજબી હુકમ મુજબ વર્તવા તમામ નાગરીકો બંધાયેલા છે.

·         ક્રિ.પ્રો.કો.ક.૩૭ અનુસાર નિચેની બાબતો અંગે મેજીસ્ટ્રેટ અગર પોલીસ અધિકારી વ્યાજબીરીતે કોઈ વ્યકિતની મદદ માગે ત્યારે તે વ્યકિત મદદ કરવા બંધાયેલ છે.

o    જે વ્યકિતને પકડવાની મેજીસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને સત્તા હોય તે વ્યકિતને પકડવામા અથવા નાસી જતી અટકાવવા માટે

o    સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવા અથવા ડામી દેવા માટે

o    રેલ્વે,નહેર,ટેલીગ્રાફ,તારવ્યવહેવાર,અથવા જાહેર મિલ્કતને નુકશાન પહોચાડવાની થતી કોશીષ અટકવવા માટે .

·         ક્રિ.પ્રો.કો.ક. ૩૯ અનુસાર ભારતના ફોજદારી અધિનિયમની નિચે જણાવેલ કલમો મુજબના શિક્ષા પાત્ર ગુનો થયાની અથવા તે કરવાના અન્ય કોઈ વ્યકિતના ઈરાદાની માહીતી હોયતો તે દરેક વ્યકિત વ્યાજબી કારણના હોયતો નજીકમાં નજીકના મેજીસ્ટ્રટને કે પોલીસ અધિકારીને ખબર આપવા બંધાયેલ છે.

o    કલમ ૧ર૧ થી ૧ર૬ અને ૧૩૦(રાજય વિરુઘ્ધના ગુના)

o    કલમ ૧૪૩,૧૪૪,૧૪પ,૧૪૭, અને ૧૪૮(સુલેહ શાંતિ વિરુઘ્ધના ગુના)

o    કલમ ૧૬૧ થી ૧૬પ (ગેર કાયદેસર લાભને લગતા ગુના)

o    કલમ ર૭ર થી ર૭૮ (ખાવા પીવાની વસ્તુ અને ઔષધી વિગેરેમાં ભેળસેળ ને લગતા ગુના)

o    કલમ ૩૦ર,૩૦૩,૩૦૪,(માનવ શરીરને અસર કરતા ગુના)

o    કલમ ૩૬૪,(પૈસા પડાવવા અપહરણને લગતા ગુના)

o    કલમ ૩૯ર થી ૩૯૯ અને ૪૦ર (લુંટ અને ધાડના ગુના)

o    કલમ ૪૦૯,(રાજય સેવક વિગેરેએ ગુનાહીત વિશ્વાધાત કરવાના ગુના)

o    કલમ ૪૩૧ થી ૪૩૯ (મિલ્કત વિરુઘ્ધના બગાડના ગુના)

o    કલમ ૪૪૯ અને ૪૬૦ (ગુપ્ત અપ પ્રવેશના ગુના)

o    કલમ ૪પ૬ થી ૪૬૦ ઈ, (ગુપ્ત ગૃહ-અપ-ગ્રહ પ્રવેશના ગુના)

o    કલમ ૪૮૯ એ થી ૪૮૯ ઈ, (ચલણી નોટોને લગતા ગુના)

·         ક્રિ.પ્રો.કો.ક.૧ર૯ અનુસાર એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ અથવા પોસઈ થી ઉતરતા દરજજાના ના હોય તેવા પોલીસ અધિકારી પાંચ કે તેથી વધુ વ્યકિતઓની મંડળી જાહેર શાંતિમાં ખલેલ પહોચાડે એવો સંભવ હોયતો વિખેરાઈ જવાનો આદેશ આપેથી મંડળીના સભ્યોએ વિખેરાઈ જવાની ફરજ છે.

·         ક્રિ.પ્રો.કો.ક.૧૬૧(ર) અનુસાર તપાસ કરનાર પોલીસ અધિકારી કેસની હકીકત અને સંજોગોથી જે વ્યકિત માહીતગાર હોય તેવી વ્યકિતને પ્રશ્નો પુછે. તે તમામ પ્રશ્નો ના સાચા જવાબ આપવા તે વ્યકિત બંધાયેલ છે.

·         ક્રિ.પ્રો.કો.ક.૧૭પ અનુંસાર આત્મહત્યા અગર અકસ્માતથી મોત થયાના કિસ્સામાં તપાસ કરનાર પોલીસ અધિકારી પુછે તે તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા. દરેક વ્યકિત બંધાયેલ છે.

લોકોએ ઉપર જણાવેલ ફરજો બજાવી પોલીસની કામગીરીમાં સહકાર આપવો જોઈએ.

ર.૯ લોક સહકાર મેળવવા માટે ગોઠવણ અને પઘ્ધતિઓ --

પ્રજા અને પોલીસ એક બીજાની નજીક આવે અને પ્રજા પોલીસને મિત્ર સમજે તે માટે જીલ્લામા દર માસે દરેક પોલીસ થાણાઓમાં લોક દરબાર યોજવામાં આવે છે. આ લોક દરબારમાં સંસદ તથા વિધાનસભાના સભ્યશ્રીઓ,નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓ, વેપારી એશોસીએશનના પ્રમુખશ્રીઓ અગર અગ્રગણ્ય નાગરીકોને આમંત્રણ આપવામાં આવે છે. કોઈ પણ નાગરીક લોક દરબારમાં હાજર રહી મુકત પણે સુચનો અને રજુઆતો કરી શકે છે. આવી રજુઆતો અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે. અને આગામી લોક દરબારમાં તેની જાણ કરવામાં આવે છે.

જીલ્લામાં પ્રજા અને પોલીસ વચ્ચેના સબંધો સુધરે અને પોલીસની કામગીરી અસરકારક રીતે થઈ શકે તે માટે ""પોલીસ મિત્ર""ની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જીલ્લાના પોલીસ થાણાઓમાં  પોલીસ મિત્રો બનાવવામાં આવેલ છે. તેઓ માનદ સેવા આપી પોલીસની કામગીરીમા મદદરૂપ થાય છે.

કોઈપણ નાગરીક તરફથી અકસ્માત પ્રસંગે કોઈ વ્યકિતનો જીવ બચાવાની કે મોટી હોનારત થતી અટકાવવા અંગેની પ્રસંશનીય કામગીરી કરવામાં આવે ત્યારે આવા નાગરીકને ઈનામ તથા પ્રસંશાપત્ર આપવામાં આવે છે.

ર.૧૦ સેવા આપવાના દેખરેખ અને નિંયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર --

જીલ્લામાં આવેલ પોલીસ થાણાઓમા ફરજ બજાવતા પોલીસના માણસોની કામગીરી ઉપર પોલીસ થાણાના ઈન્ચાર્જ પોસઈ / પો.ઈન્સ.શ્રીઓ, દેખરેખ અને નિયંત્રણ રાખે છે. કોઈપણ નાગરીકને અન્યાય થાય ત્યારે પોલીસ થાણાના ઈન્ચાર્જ અધિકારીને તે અંગેની ફરીયાદ કરી શકે છે. પોલીસ થાણાના ઈન્ચાર્જ ની કામગીરીથી જો સંતોષ ના થાય તો સર્કલ પો.ઈન્સશ્રીને રજુઆત કરી શકે છે. અને તેમનાથી પણ સંતોષ ના થાય તો વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીને અને તે પછી પોલીસ અધિક્ષકશ્રી,ને રજુઆત કરી શકે છે. તદ્રઉપરાંત પોલીસ કન્ટ્રોલ રૂમમાં પણ ટેલીફોન ઘ્વારા રજુઆત કરી શકે છે. આવી રજુઆતો પ્રત્યે પુરતુ ઘ્યાન આપી તુર્તજ ન્યાય આપવામાં આવે છે.

પોલીસ અધિક્ષકશ્રી --

જીલ્લામાં રોજે-રોજ બનતા બનાવો ઉપર પોલીસ અધિક્ષકશ્રી,ઘ્વારા દેખરેખ રાખવામાં આવે છે. અને તાબાના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. પોલીસ અધિક્ષકશ્રી,તરફથી દર મહીને કોઈ પણ પોલીસ થાણાની ઓચિંતી મુકલાત લઈ ફરીયાદો નોધવામાં આવે છે. કે કેમ તે અંગે તથા પોલીસ ની સજાગતા અંગે ચકાસણી કરવામાં આવે છે. દર વર્ષે પોલીસ થાણાઓ , આઉટ પોસ્ટ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અને સી.પી.આઈ.શ્રી.ની કચેરીના રેકર્ડની તપાસણી કરવામાં આવે છે. દર મહીને પોલીસ થાણાઓમાં લોક દરબાર યોજવામાં આવે છે. તેમજ દર મહીને જીલ્લા ની ક્રાઈમ બેઠક યોજી બનેલ ગુના ઓ અંગે સમીક્ષા કરી ગુના બનતા અટકાવવા અને બનેલ ગુના શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવે છે. જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુના/બનાવોના સ્થળની વિઝીટ કરી તપાસ કરનાર અધિકારીને માર્ગદર્શન આપવામાં આવે છે.

પોલીસ અધિક્ષકશ્રી, ઘ્વારા તેમના તાબાના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓને જરૂર જણાયે માર્ગદર્શન અને સુચનઓ આપવામાં આવે છે.જીલ્લાના મુખ્ય પોલીસ અધિકારી તરીકે જીલ્લા પોલીસ તંત્ર ઉપર નિંયંત્રણ રાખવામાં આવે છે. પોલીસ અમલદારોની તાલીમ, કાર્યદક્ષતા, શિસ્ત વિગેરે બાબતો અંગે તેમજ ગુના બનતા અટકાવવા, બનેલ ગુનાઓની તપાસ કરી શોધી કાઢવાની કામગીરી ઉપર સતત નિયંત્રણ રાખવામાં આવે છે. તદ્રઉપરાંત તાબાના માણસો અને લોકો સાથે સતત સંપર્કમાં રહી તેઓની જરૂરીયાતોનું ઘ્યાન રાખવામાં આવે છે.

નાયબ પોલીસ અધિક્ષકઃ-

નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ વિભાગના વડા હોય છે. વિભાગમા થતી તમામ ગુના સબંધી કામગીરી અંગેની જવાબદારી તેઓ નિભાવે છે. વિભાગમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓના સ્થળની વિજીટ કરી તપાસ અંગે વિઝીટેશન કરી તપાસ કરનાર અધિકારીને માર્ગદર્શન આપે છે. તેમજ વિભાગના અધિકારીઓને વખતો વખત કચેરી હુકમો બહાર પાડી માર્ગદર્શન આપે છે. વિભાગના પોલીસ અમલદારોની કાર્યદક્ષતા અને શિસ્તની જાળવણી અંગે ની તેઓની જવાબદારી રહે છે. તેઓ દર વર્ષે વિભાગના પોલીસ થાણા તથા આઉટ પોસ્ટની તપાસણી કરે છે. દર મહીને પોલીસ અધિક્ષકશ્રી, તરફથી યોજવામાં આવતાં લોક દરબારમા હાજરી આપે છે. દરમહીને વિભાગના પોલીસ થાણાઓની ઓચિંતી મુલાકાત લઈ પોલીસની સજાગતા અંગે ચકાસણી કરેછે. હથિયાર અને દારૂ ગોળાની દુકાનોની તપાસણી કરેછે. અને બિમાર પોલીસના માણસોની મુલાકાત લઈ સાર સંભાળ લેછે. અને પ્રવર્તમાન કાયદાઓની અમલવારી કરાવે છે.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક વહીવટી બાબતોની કામગીરી અંગે પોલીસ અધિક્ષકશ્રી, ને મદદ કરેછે. તેમજ પોલીસ અધિક્ષકશ્રીની ગેર હાજરીમાં કચેરીની તમામ શાખાઓની કામગીરી ઉપર દેખરેખ રાખે છે. તેમજ હેડકવાર્ટસ ના પોલીસ ફોર્સ ઉપર દેખરેખ રાખે છે.

સર્કલ પોલીસ ઈન્સ્પેકટર --

સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓ સર્કલ વિસ્તારમાં બનતા ગુનાઓ સબંધી કામગીરી કરે છે. સર્કલ વિસ્તારના ગુનેગારો અને ગુના કરતી ટોળકીઓ ઉપર દેખરેખ રાખે છે. સર્કલના પોલીસ થાણાઓની ગુના સબંધી કામગીરી ઉપર દેખરેખ અને સંકલન રાખે છે.

તેઓ નિચે જણાવેલ ગુનાઓની તપાસ જાતે કરે છે.--

·         ખુન ,તથા ખુનની કોશીષ ના વણશોધાયેલ ગુનાઓ

·         ધાડના વણશોધાયેલ ગુનાઓ

·         સગીર વયની બાળાઓના અપહરણના કેસોની

તેમજ તેઓ નિચે જણાવેલ ગુન્હાઓનુ વિઝીટેશન કરે છે. --

·         પેસેન્જર તથા માલ વાહક ટ્રેઈનમા થયેલ લુંટ

·         સુર્યાસ્તથી સુર્યોદય વચ્ચે ધોરી માર્ગ ઉપર બનેલ લુંટના ગુનાઓ

·         ફાયર આર્મ્સ વપરાયેલ હોય તેવા લુંટ તથા લુંટની કોશીષના ગુનાઓ

·         રૂ..૧પ,૦૦૦/- થી રૂ,પ૦,૦૦૦/- ની ધરફોડ ચોરીના ગુનાઓ

·         રૂ.ર૦,૦૦૦/- થી વધુ કિંમતની કોઈપણ ચોરીના ગુનાઓ

·         રૂ..૧૦૦૦/- અગર તેનાથી વધારે કીમતની વસ્તુ અગર મુર્તિ ચોરાયેલ હોય તેવા મંદિર ચોરીના ગુનાઓ

·         ટેલીફોન તથા ટેલીગ્રાફ ના વાયર ચોરીના ગુનાઓ

·         રેલ્વે પાટાની ચાવીની ચોરીના ગુનાઓ

·         તમામ પ્રકારના હુલ્લડ ના ગુનાઓ

·         પોલીસ અધિક્ષકશ્રી તથા ના.પો.અધિ.શ્રી,સુચવે તેવા અન્ય ગેંગ ઘ્વારા કરવામાં આવેલ તથા સંવેદન સીલ ગુનાઓ

·         હુલ્લડ ના ગુનાઓના વિઝીટેશન દરમ્યાન ગુનો અટકાવી શકાય તેમ હતો કે કેમ ? તે અંગે પોલીસને ગુનાની અરજી અગર નોન કોગ્નીઝેબલ ફરીયાદ ઘ્વારા જાણ કરવામાં આવેલ હતી કે કેમ ? વી.વી દરમ્યાન પોસઈને જાણ કરવામાં આવેલ હતી કે કેમ ? વિગેરે બાબતો અંગે તપાસ કરી પોલીસ અધિક્ષકશ્રીને અહેવાલ પાઠવે છે.

·         સી.પી.આઈ.શ્રી.ઓ પેટ્રોલીંગ ની પોલીસ પાર્ટીઓનું ચેકીંગ કરે છે. સર્કલ વિસ્તારમાં બનતા ગુનાઓ અંગે સર્વે કરી અસરકારક પેટ્રોલીંગ નુ આયોજન કરે છે અસરગ્રસ્ત વિસ્તારમા કેમ્પ કરી ગુનાઓ અટકાવવા અને શોધવાની કામગીરી કરાવે છે. સર્કલના પોલીસ થાણાઓના ડેઈલી રીપોટર્ંં નો અભ્યાસ કરી માર્ગંદર્શન આપે છે. પોલીસ થાણાઓ તથા આઉટ પોસ્ટની દર ત્રણ મહીને તપાસણી કરે છે. તેમજ પોલીસ થાણાઓની ઓચિંતી મુલાકાત લઈ પોલીસની સજાગતા અંગે ચકાસણી કરે છે. સર્કલમા ક્રાઈમ સબંધી રેકર્ડ નો અભ્યાસ કરી મુંબઈ પોલીસ અધિનિયમ ની કલમ પ૬,પ૭ તથા ક્રિ.પ્રો.કો.ક. ૧૧૦ મુજબ અટકાયતી પગલા લે છે. સર્કલ વિસ્તારમા પ્રોહીબીશન ના ગુનાઓ નો અભ્યાસ કરી દરોડાઓનું આયોજન કરે છે અને ગણનાપાત્ર કેસો શોધવાની કામગીરી કરેછે પડોશના પોલીસ થાણા ના અધિકારીઓ સાથે બેઠક યોજી સંકલન કેળવી શકદારો તથા સક્રિય ગુનેગારોની માહીતીની આપ લે કરે છે. ખાતાકીય તપાસ અંગેની તપાસો કરેછે. લોકોનું ઘ્યાન દોરાય તેવા અગત્યના અને અટપટા કેસોની તથા પોલીસ વિરુઘ્ધમાં આક્ષેપો થયા હોય તેવી બાબતો અંગેની તથા દૈનિક પેપરમાં ચર્ચાસ્પદ બનેલ હોય તેવા કેસોની જાતે તપાસ કર છે.

પોલીસ થાણા ઈન્ચાર્જ પો.ઈન્સ./પો.સબ ઈન્સ.--

પોલીસ થાણાનો હવાલો ધરાવતા અધિકારીઓ તેમના થાણા વિસ્તારની ગુના અટકાવવાની અને બનેલ ગુનાઓ શોધીકાઢવાની અને ઉપરી અધિકારીશ્રીઓ તરફથી થયેલ હુકમો અંગેની કામગીરી કરેછે. તેમના તાબાના પોલીસ અમલદારોની શિસ્ત કેળવેછે. તાબાના માણસોની ફરજો ઉપર દેખરેખ રાખે છે. ઉપરી અધિકારીઓને ગુના તથા બનાવો સબંધી તથા જાહેર સુલેહ-શાંતિને લગતી બાબતો અંગે માહીતી આપેછે. અને તે અંગે અટકાયતી પગલા લેવા અંગેના સુચનો મોકલે છે. પડોશના પોલીસ થાણાઓના અધિકારીઓ સાથે સંકલન રાખી ગુના સંબંધી માહીતીની આપ લે કરેછે. દર મહીને આઉટ પોસ્ટની તપાસણી કરેછે. તેમજ પોગ્રામ પ્રમાણે ગામોની વિઝીટ કરેછે. અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગેની કામગીરી કરે છે.

ર.૧૧ મુખ્ય કચેરી અને જુદા-જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના સરનામા (વપરાશ કારને સમજવામાં સરળ પડે તે માટે જીલ્લા વાર વર્ગીકરણ કરો.)

પોલીસ અધિક્ષકની કચેરી સરદારભવન સામે, ઓવરબ્રિજ , નડીયાદ.

નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક,ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષકની કચેરી,
ઓવર બ્રિજ નીચે નડીયાદ

નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી સેલ

કચેરી અધિક્ષક

સ્થાનિક ઈન્ટેલીજન્સ શાખા (એલ.આઈ.બી)

સ્થાનિક ગુના શોધક શાખા (એલ.સી.બી)

પો.સ.ઇ મીસીંગ સેલ

પોસઈ (વાયરલેસ વિભાગ)

પોસઈ (નાસતા ફરતા સ્‍કોર્ડ )

પોસઈ (જીલ્લા ટ્રાફીક)

૧૦

પોસઈ (જી.આર.ડી)

૧૧

સાયન્ટીફીક ઓફીસર (વૈજ્ઞાનિક તપાસણી મોબાઈલ)

૧ર

ફીંગર પ્રિન્ટ (વિભાગ)

૧૩

પોસઈ (એમ.ઓ.બી)

૧૪

પોસઈ (કોમ્પ્યુટર શાખા)

૧પ

કંટ્રોલ ઓફીસર (કંન્ટ્રોલ રૂમ)

૧૬

રીઝર્વ પો.સ.ઈ.ખેડા.

પોલીસ મુખ્ય મથક, ખેડા કેમ્પ,

૧૭

પોસઈ (માઉન્ટેડ)

૧૮

પોસઈ. એમ.ટી.

૧૯

એ.એસ.આઈ. (બેન્ડ વિભાગ)

૨૦

એ. એસ.આઈ.(ર્ડાગ સ્કોડ)

 

 


નડીયાદ વિભાગ

નાયબ પોલીસ અધિક્ષક,નડીયાદ વિભાગ

નડીયાદ મોટી શાક માકેર્ટ નજીક, નડીયાદ, પી.નં.૩૮૭૦૦૧

સર્કલ પો.ઈન્સ.ડાકોર
ડાકોર પો.સ્ટે.કંપાઉન્ડ,
 
ડાકોર

સર્કલ પો.ઈન્સ.માતર,
ખોખા બજાર સામે, માતર

પો.ઈન્સ.નડીયાદ ટાઉન પો.સ્ટે.
જુની સબ જેલ સામે,
રેલ્વે સ્ટેશન રોડ નડીયાદ

(૧)પો.ઇન્સ
નડીયાદ રૂરલ પો.સ્ટે.
શાક માર્કેટ પાસે, નડીયાદ

૧.વિણા આઉટ પોસ્ટ
ર.ડભાણ બીટ

૩.હોમબીટ

(૧) પોસઈ વસો પો.સ્ટે.

વસો ગામ

૧.ટાઉન બીટ
ર.હોમબીટ-૧
૩.હોમબીટ-ર
૪.હોમબીટ-૩

1. પોસઈ સંતરામ ચોકી
ર.પોસઈ ડભાણ ચોકી
૩.પોસઈ જવાહર ચોકી
૪.પોસઈ અમદાવાદી ચોકી
પ.પોસઈ કોકરણ ચોકી
૬.પોસંઈ સલુણ ચોકી
૭.ટ્રાફીક ચોકી

(ર) પોસઈ ચકલાસી પો.સ્ટે

ચકલાસી ગામ

૧.વડતાલ આ.પો
ર.સોડપુર આ.પો
૩.કણજરી ચોકી
૪.હોમબીટ
પ.ટાઉનબીટ

(ર) પોસઈ માતર પો.સ્ટે
મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં,

માતર

૧.ટાઉનબીટ
ર.હોમબીટ

 

(૩) પોસઈ ઠાસરા પો.સ્ટે
મામલતદાર કચેરીના
કંપાઉન્ડમાં,

ઠાસરા

૧.ચેતરસુંબા આ.પો
ર.સેવાલીયા(પાલી)આ.પો
૩.થર્મલ આ.પો
૪.ટાઉનબીટ
પ.હોમબીટ-૧
૬.હોમબીટ-ર

(૩) પોસઈ લીંબાસી પો.સ્ટે.
તારાપુર રોડ

લીબાસી ગામ

૧.ભલાડા આ.પો
ર.ટાઉનબીટ
૩.હોમબીટ

 

(૪)પોંસઈ ડાકોર પો.સ્ટે.
રણછોડરોય મંદિર રોડ,

ડાકોર

૧.ભદ્રાસા આ.પો
ર.કાલસર આ.પો
૩.ટાઉનબીટ-૧
૪.ટાઉનબીટ-ર
પ.હોમબીટ

(૪) પોસઈ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.
વલ્લભનગર સોસા.શ્રેયસ સિનેમા

સામે

નડીયાદ

૧.મિશનબીટ
ર.ઝલકબીટ

 

 

 

 

 

કપડવંજ વિભાગ

નાયબ પોલીસ અધિક્ષક, કપડવંજ વિભાગ

કપડવંજ, ત્રિવેણી પાર્ક, કપડવંજ, જી.ખેડા પી.નં.૩૮૭૬૨૦

 

સર્કલ પો.ઈન્સ.મહેમદાવાદ
મામલતદાર કચેરીના
કંપાઉન્ડમાં, મહેમદાવાદ

સર્કલ પો.ઈન્સ.કપડવંજ,
મામલતદાર કચેરીના

કંપાઉન્ડમાં, કપડવંજ

પો.ઈન્સ.બાલાસિનોર પો.સ્ટે.,
નિશાળ ચોક
,
બાલાસિનોર

(૧) પોસઈ મહેમદાવાદ પો.સ્ટે.
મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં
,
મહેમદાવાદ

  1. સરસવણી આ.પો
  2. સિહુંજ આ.પો
  3. ધોડાસર આ.પો
  4. સ્ટેશન ચોકી
  5. ટાઉનબીટ
  6. હોમબીટ-૧
  7. હોમબીટ-ર

(૧) પોસઈ કપડવંજ રૂરલ પો.સ્ટે
નાની રત્નાકર મંદિરની બાજુમાં,
કપડવંજ

  1. વધાસ આ.પો.
  2. આત્રોલી આ.પો
  3. નિરમાલી આ.પો
  4. અંતિસર આ.પો

હોમબીટ-૧

  1. પાંડવા આ.પો
  2. ભાથલા આ.પો
  3. ટાઉનબીટ
  4. જનોડબીટ

(ર) પોસઈ ખેડા ટાઉન પો.સ્ટે.
સ્ટેટ બેકની બાજુમાં, ખેડા

  1. રઢુ આ.પો.
  2. ગોબલજ આ.પો
  3. લાલી આ.પો
  4. ટાઉનબીટ-૧
  5. ટાઉનબીટ-ર
  6. હોમબીટ

(૨) પોસઈ આતરસુંબા પો.સ્ટે.
આતરસુંબા ગામ

  1. ઉત્તરબીટ
  2. દક્ષિણબીટ

 (૨) પો.ઇન્સ  કપડવંજ ટાઉન પો.સ્ટે.
મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં
,
કપડવંજ

  1. નદી દરવાજા ચોકી
  2. કુંડવાવ ચોકી
  3. અંતિસર દરવાજા ચોકી
  4. લાયનચોકી

હોમબીટ

(૩) પોસઈ કઠલાલ પો.સ્ટે.
મામલતદાર કચેરી સામે,
કઠલાલ

  1. છીપડી આ.પો.
  2. રવદાવત આ.પો
  3. લસુન્દ્રા આ.પો
  4. ફાગવેલ આ.પો
  5. ટાઉનબીટ
  6. હોમબીટ

(૩) પોસઈ વિરપુર પો.સ્ટે.
બસ સ્ટેન્ડની સામે, વિરપુર

  1. ડેભારી આ.પો
  2. ટાઉનબીટ
  3. હોમબીટ-૧
  4. હોમબીટ-ર

 

(૪) પોંસઈ મહુધા પો.સ્ટે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની
બાજુમાં, મહુધા

  1. અલીણા આ.પો
  2. ટાઉનબીટ
  3. હોમબીટ

 

 

 

 

ર.૧ર કચેરી શરૂ થવાનો સમય --

  • પોલીસ અધિક્ષકની કચેરી,કલાક.૧૦/૩૦
  • નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓની કચેરી - કલાક.૧૦/૩૦
  • સર્કલ પો.ઈન્સ.શ્રીઓની કચેરી કલાક.૧૦/૩૦
  • પોલીસ થાણાઓ ર૪ કલાક કાર્યરત
  • પોલીસ કંન્ટ્રોલ રૂમ ર૪ કલાક કાર્યરત

    કચેરી બંધ થવાનો સમય - -

 

  • પોલીસ અધિક્ષકની કચેરી,કલાક.૧૮/૧૦
  • નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓની કચેરી - કલાક.૧૮/૧૦
  • સર્કલ પો.ઈન્સ.શ્રીઓની કચેરી કલાક.૧૮/૧૦
  • પોલીસ થાણાઓ ર૪ કલાક કાર્યરત
  • પોલીસ કંન્ટ્રોલ રૂમ ર૪ કલાક કાર્યરત

અગત્યના ટેલીફોન નંબરો --

 

 

અ.ન

નડીયાદ કચેરી

કોડ નંબર

ફોન નંબર

એસ.પી.શ્રી

૦ર૬૮

રપપ૦૧પ૦

એસ.પી.શ્રી ના પી.એ

૦ર૬૮

રપપ૦રપ૦

ના.પો.અધિ.શ્રી.મુ.મ ખેડા

૦ર૬૮

રપ૬૪૩પ૦

પો.ઈ.એલ.આઈ.બી

૦ર૬૮

રપ૬૪૧પ૦

પો.ઈ.એલ.સી.બી

૦ર૬૮

રપ૬૦ર૧૧

ટી.પી.સેન્ટર.નડીયાદ

૦ર૬૮

રપપ૦૧૭પ

કોમ્પ્યુટર શાખા

૦ર૬૮

રપપ૦૧૧૧

પી.બી.એકસ.બોર્ડ

૦ર૬૮

રપપ૧૭પ૦

પી.બી.એકસ.બોર્ડ

૦ર૬૮

રપપ૧૮પ૦

૧૦

કંટ્રોલ .રૂમ

૦ર૬૮

રપ૬૧૮૦૦

૧૧

કંટ્રોલ .રૂમ.ફેકસ

૦ર૬૮

રપપર૭પ૦

અ.ન

નડીયાદ કચેરી

કોડ નંબર

ફોન નંબર

ના.પો.અધિ.શ્રીઓ

૧૨

ના.પો.અધિ.શ્રી.નડિયાદ

૦ર૬૮

રપપ૧૧૪૪

૧૩

ના.પો.અધિ.શ્રી કપડવંજ

૦ર૬૯૧

ર૫૫૯૧૪

સી.પી.આઈ.શ્રીઓ

૧૪

માતર

૦ર૬૯૪

ર૮પપ૧૩

૧૫

ડાકોર

૦ર૬૯૯

ર૪૪૭૩૩

૧૬

મહેમદાવાદ

૦ર૬૯૪

ર૪ર૬૭૮

૧૭

કપડવંજ

૦ર૬૯૧

રપર૧પ૮

પોલીસ સ્ટેશન

૧૮

નડિયાદ ટાઉન

૦ર૬૮

રપ૬૬૩૩૩

૧૯

સંતરામ

૦ર૬૮

રપ૬૬ર૭૭

૨૦

ડભાણ

૦ર૬૮

રપ૬૬ર૯૬

૨૧

સલુણ

૦ર૬૮

રપ૬૬ર૩૯

૨૨

અમદાવાદી

૦ર૬૮

રપ૬૬ર૩૩

૨૩

જવાહરનગર

૦ર૬૮

રપ૬૬૦૭૮

૨૪

નડિયાદ.રૂરલ

૦ર૬૮

રપ૬૧૭૪પ

૨૫

વીણા ઓ.પી.

૦ર૬૮

રપ૮૬૭૦૪

૨૬

નડિયાદ.પશ્વિમ

૦ર૬૮

રપપ૬ર૩૩

૨૭

ચકલાસી

૦ર૬૮

રપ૮૦૬૩૩

૨૮

વડતાલ ઓ.પી.

૦ર૬૮

રપ૮૦૭પર

૨૯

સોઢપુર ઓ.પી.

૦ર૬૮

રપ૮૩૬૪૮

૩૦

ડાકોર

૦ર૬૯૯

ર૪૪૭૩૩

૩૧

ભદ્રસા ઓ.પી.

૦ર૬૯૯

ર૮પર૩૩

૩૨

ઠાસરા

૦ર૬૯૯

રર૩૦૩૩

૩૩

થર્મલ ઓ.પી.

૦ર૬૯૯

ર૩૯૭૧૦

૩૪

પાલી ઓ.પી.

૦ર૬૯૯

ર૩૩૯૩પ

૩૫

વસો

૦ર૬૮

રપ૮પ૪૩૩

૩૬

માતર

૦ર૬૯૪

ર૮પપ૩૩

૩૭

લીબાંસી

૦ર૬૯૪

ર૮૩૬૩૩

૩૮

ભલાડા ઓ.પી.

૦ર૬૯૪

ર૩૩૭૪૪

૩૯

કપડવંજ.ટાઉન

૦ર૬૯૧

રપર૮૩૩

૪૦

કપડવંજ.રૂરલ

૦ર૬૯૧

ર૬ર૩૩૩

૪૧

ફાગવેલ ઓ.પી.

૦ર૬૯૧

ર૮૦૮પપ

૪૨

આંત્રોલી ઓ.પી.

૦ર૬૯૧

રપર૬૬૪

૪૩

અંતીસર ઓ.પી.

૦ર૬૯૧

ર૮૩પ૩૩

૪૪

નીરમાલી ઓ.પી.

૦ર૬૯૧

ર૮પ૬૩૩

૪૫

વધાસ ઓ.પી.

૦ર૬૯૧

ર૮૭પ૩૭

૪૬

લસુન્દ્ર ઓ.પી.

૦ર૬૯૧

ર૮રપ૩ર

૪૭

બાલાશિનોર

૦ર૬૯૦

ર૬૭ર૦૧

૪૮

વિરપુર

૦ર૬૯૦

ર૭૭૪૩૩

૪૯

ડેભારી ઓ.પી

૦ર૬૯૦

-

૫૦

આંતરસુબા

૦ર૬૯૧

ર૮૧૬૩૩

૫૧

કઠલાલ

૦ર૬૯૧

ર૪૩૪૩૩

૫૨

છીપડી ઓ.પી.

૦ર૬૯૧

ર૪૭૩૩૩

૫૩

રવદાવત ઓ.પી.

૦ર૬૯૧

ર૮૧૬૩૪

૫૪

મહુંધા

૦ર૬૮

રપ૭રપ૩૩

૫૫

અલીણા ઓ.પી.

૦ર૬૮

રપ૭૪૩૩૩

૫૬

મહેમદાવાદ

૦ર૬૯૪

ર૪૪૦૮ર

૫૭

સરસવાણી ઓ.પી.

૦ર૬૯૪

-

૫૮

ધોડાસર ઓ.પી.

૦ર૬૯૪

-

૫૯

સિંહુજ ઓ.પી.

૦ર૬૮

રપ૭રપ૪૪

૬૦

ખેડા.ટાઉન

૦ર૬૯૪

રરર૦૩૩

૬૧

રઢુ ઓ.પી.

૦ર૬૯૪

ર૮૧પ૩૩

૬૨

ગોબલજ ઓ.પી.

૦ર૬૯૪

ર૭૭પ૩૩

૬૩

લાલી ઓ.પી.

૦ર૬૯૪

-