આગ, પુર કે હોનારત
:- રેસ્કયુ અને રીલીફ ઓપરેશન ટીમ ત્વરીત કાર્યવાહી હાથ ઘરશે.
ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે ?
· કોગ્નીજેબલ ગુનાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવશે તેની નકલ ફરીયાદીને વિનામુલ્યે ત્રણ કલાકની અંદર આપવામાં આવશે.
· સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈપણ બંધન વિના ફરીયાદ નોધવામાં આવશે.
· ગુનાના સાક્ષીઓની તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દવિસમાં અને ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દવિસની અંદર નિકાલ કરવામાં આવશે. જો તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરીયાદીને તે અંગેની જાણ કરશે.
· ખોવાયેલ બાળકો, વ્યકિતઓને શૉધવા માટે તમામ જરૂરી પ્રયત્નો કરશે.
· પંદર વર્ષથી નીચેના બાળકોને, વૃદ્ધોને, મહીલાઓને, માદા માણસોને શકય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહી.
· કોર્ટમાંથી મિલ્કતનો કામચલાઉ કબજો અપાવવા ફરીયાદીને જરૂરીને મદદરૂપ બનશે.
· સ્વાગત કક્ષ ખાતે તપાસ કયા તબકકામાં છે તેની જાણ ફરીયાદીને કે ભોગ બનનારને કરાશે.
· મહીલાને સુર્યાસ્ત અને સુર્યોદય વચ્ચે અટક કરી શકાશે નહી.
· મહીલાની અટક કે ઝડતી કે એસ્કોર્ટ મહીલા પોલીસ દ્વારા જ કરાશે.
· મહીલાને પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવે ત્યારે તેના સગાને તેની સાથે રહેવા દેવાની છુટ અપાશે.
· બાળ ગુનેગારોને પોલીસ લોકપમાં ન મુકી શકાય તેમને અટક કર્યા બાદ સુધારણા ગૃહોમાં કે સલામત સ્થળે ત્વરીત મોકલાશે.
· દરેક અટકાયતીને હાથ કડી પહેરાવી શકાય નહી સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.
· આરોપીઓ સાથે ગે.કા. ની પઘ્ધતિનો ઉપયોગ કરી શકાય નહી.
· જામીન લાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન ઉપર છૉડવો.
· જરૂરીયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પુરુ પાડવામાં આવશે.
· કેસ પુરો થાય તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલ્કત પરત સોપવામાં ફરીયાદી/ ભોગ બનનારને પોલીસ મદદ કરશે.
· કેસ કોર્ટમાં કયા તબકકે છે તેની જાણ પોલીસ ફરીયાદીને કરશે.
· એટ્રોસીટી એકટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરશે અને અત્યાચારનો ભોગ બનેલ વ્યકિત કે સમુહને પોલીસ રક્ષણ વિનામુલ્યે આપવામાં આવશે.
· ૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પો.ઈન્સ. કરશે.
· દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબીતીનો બોજો આરોપીઓ ઉપર છે
· સ્ત્રી ધન પરત ન રહે કે વાપરવા ન દે તો ઈપીકો ક.૪૦૬ હેઠળ ગુનો બનશે.
લગ્ન જીવનના૧૦વર્ષની અંદર પરણીત મહીલાનાશંકાસ્પદ મૃત્યુની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ પેનલ ડૉકટરોનીકરશે. ભોગ બનનાર મહીલાનું મરણોત્તર નિવેદન એકજી. મેજી. લેશે.
દલિગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતુ :-
· કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોપે તો મિલ્કત રીકવર થઈ શકે નહી
· આરોપી સાથે ગેરકાનુની પઘ્ધતિનો ઉપયોગ કરી શકાય નહી.
· નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રીકવર કરી શકાય નહી.
· જમીન, મકાન, ભાડુઆતના ઝગડામાં સમાધાન કરાવી શકાય નહી.
· નોન કોગ્નીજેબલ ગુનાની ફરીયાદ રજીસ્ટર કરી શકાય નહી, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહી.
· આરોપીને ઉતાવળથી અટક કરી શકાય નહી.
· દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહી
માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેના સગાને વળતર આપવા માટેવાહનના માલીક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહી .