ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા
(અઠવાડિક તા.૨૩/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫)
એલ.સી.બી. શાખા ખેડા-નડીયાદ
કોમ્પ્યુટર તથા મોબાઇલ ચોરીના ૫ આરોપીઓને કુલ્લે રૂ. ૭૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નૈનપુર સ્કુલમાં તથા નૈનપુર ચોકડી ખાતે થયેલ ચોરીનો ગુનો ઉકેલતી ખેડા- નડીયાદ એલ.સી.બી.પોલીસ
પોલીસ અધિક્ષક શ્રી ખેડા-નડીયાદ નાઓએ બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ તેમજ શોધી કાઢવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.ચૌધરી નાઓને આપેલ સુચના મુજબ એલ.સી.બી.ના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપેલ તે મુજબ એલ.સી.બી.ના હેઙકો. વિનોદચંન્દ્ર તથા પો.કો. હિતેન્દ્રસિંહ તથા પો.કો. શ્રવણકુમાર તથા પો.કો. શૈલેષસિંહ તથા પો.કો. શિવભદ્રસિંહ તથા પો.કો. મુકેશકુમાર તથા પો.કો. ચિંતનકુમાર વિગેરે તા.૨૫/૦૨/૧૫ નારોજ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના પો.કો. હિતેન્દ્રસિંહ નાઓને મળેલ માહીતી મુજબ મહેમદાવાદ સિધ્ધીવિનાયક મંદીર સામે રોડ ઉપરથી મો.સા. નં. જી.જે.૭ બી.ઇ. ૯૪૩૫ ઉપર નૈનપુર ગામના કીશનભાઇ મેલાભાઇ બારૈયા તથા મેહુલ ઉર્ફે મોન્ટુ રમેશભાઇ બારૈયા નાઓને કોમ્પ્યુટરનુ સી.પી.યુ. તથા એલ.સી.ડી. લઇ ખાત્રજ તરફ જતા ઝડપી લઇ તેઓની પુછપરછ કરતા જે સી.પી.યુ. કીં.રૂ. ૪,૦૦૦/-નુ નૈનપુર આર.કે.સ્કુલ માંથી તેઓના સહ મિત્રો સાથે તથા એલ.સી.ડી. નૈનપુર ચોકડી શક્તિ મોબાઇલ માંથી દશેરાની આસપાસ સ્કુલ તથા મોબાઇલની દુકાનનુ તાળુ તોડી ચોરેલાની વિગત જણાવેલ જે બાબતે મો.સા. સાથે કુલ્લે રૂ. ૨૮,૦૦૦/-નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બંન્ને આરોપીઓને ૪૧(૧)ડી મુજબ ક. ૧૮/૧૫ વાગે અટક કરી મહેમદાવાદ પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી કરી જેની તપાસ પો.ઇન્સ. ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ હેઙકો. વિનોદચંન્દ્રની ટીમ દ્વારા આ કામે આજરોજ બીજો કોમ્પ્યુટરનો સામાન તથા હોમથિયેટર તથા ૧૯ મોબાઇલ મળી બીજો મુદ્દામાલ કીં.રૂ. ૫૧,૫૦૦/- સાથે આરોપી ભરતભાઇ માધુભાઇ જાદવ તથા ભીમસિંહ ઉર્ફે ભેમો શકરાભાઇ જાદવ રહે, નૈનપુર તથા મિલનકુમાર સુરેશભાઇ ગોહેલ રહે, વાંઠવાળી નાઓને ઝડપી લઇ કુલ્લે રૂ. ૭૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે અટક કરી મહેમદાવાદ પો.સ્ટે.ની હદમાં થયેલ નૈનપુર આર.કે. વિધ્યાલયમાંથી થયેલ ચોરી તથા નૈનપુર ચોકડી શક્તિ મોબાઇલમાંથી થયેલ મોબાઇલ ચોરી નો ભેદ ઉકેલેલ છે. અને આ બાબતે મહેમદાવાદ પોલીસને આરોપીઓ સોંપવા તજવીજ હાથ ધરાયેલ છે.
ડાકોર પોલીસ સ્ટેશન
ડાકોર રણછોડજી મંદિરે હોળીના તહેવાર નજીકમાં આવતો હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્ત થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્યવસ્થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારૂ પ્લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.