પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:59:16 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા. ૦૩/૦૨/૨૦૧૪ થી તા.૦૯/૦૨/૨૦૧૪)

 

એસ.ઓ.જી. ખેડા-નડીયાદ

છેલ્‍લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી

એસ.ઓ.જી. ખેડા-નડીયાદ પોલીસ

 

                        પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપી પકડવા અંગેની ઝુંબેશ આધારે પો.સ.ઇ. ડી.કે.પટેલનાઓ તથા એસ.ઓ.જી. સ્‍ટાફનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કો. મહેશકુમાર કાળીદાસ નાઓને માહિતી મળેલ કે છેલ્‍લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી જે નડીયાદ ટાઉન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં. ૧૩૫/૦૮ ઇપીકો કલમ ૩૦૭,૩ર૩ મુજબના ગુનાનો આરોપી વિલીયમભાઇ વાલજીભાઇ મકવાણા (ક્રિચિયન) ઉ.વ. ૫૮ રહેવાસી અલીદ્રા તા.માતરનો ડભાણ બસ સ્‍ટેશન પાસે આવેલ હોવાની માહિતી આધારે પકડી પાડેલ છે.

ડાકોર પોલીસ સ્ટેશન

                        ડાકોર પો.સ્ટે. અત્રેના ડાકોર રણછોડજી મંદિરે તા.૦૯/૦૨/૨૦ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો  બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકાર ની ટ્રાફિક ની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમ માંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

કઠલાલ પોલીસ સ્ટેશન

                        કઠલાલ પો.સ્‍ટે.માં તા.૩/ર/૨૦૧૪ થી તા.૯/ર/૨૦૧૪ના સમય દરમ્યાન અમો તથા અમારા સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા લોકોના હિત સારૂ,ભણતા વિદ્યાર્થીઓના હિત સારૂ તથા મહિલાઓની સુરક્ષા અર્થે જેવી કે ચોરી,છેડતીના બનાવો ન બને તે સારૂ તથા વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિઓ જોઇ ખોટા રવાડે ન ચઢી જાય તે સારૂ અત્રેના હદના ગામડાઓમાં અવાર નવાર પ્રોહિબીશનની બદ્દી તથા જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા સારૂ પેટ્રોલીંગ કરાવી આવા ગુનાઓ કરનારા ઇસમો ઉપર રેઇડો કરાવી પ્રોહિબીશન કલમ ૬૬(૧)બી મુજબ-૩૧ ,પ્રોહિ.એક્ટ કલમ-૮પ(૧)(૩) મુજબ-ર કેસો તથા જુગાર કેસ-૧ શોધી કાઢવામાં આવેલ છે. તેમ છતાં આવા ઇસમો વારંવાર તેઓની આવી પ્રવૃત્તિઓ આચરે તો તેઓ વિરૂદ્ધ આગળની કાર્યવાહિ કરી કાયદેસર કરવામાં આવે છે. જે પોલીસની સમજાવટને કારણે વ્યસન મુક્ત થાય તેવી કામગીરી કરવામાં આવે છે. જે લોકોના હિત માટે તુરંત ધ્યાને આવે તેમ છે.