પોલીસ અધિક્ષક, ખેડા
http://www.spkheda.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:06:34 PM

ખેડા જીલ્લા પોલીસ સાફલ્યગાથા

(અઠવાડિક તા. ૧૧/૧૧/૨૦૧૩ થી તા.૧૭/૧૧/૨૦૧૩)

       

  

 

ડાકોર પોલીસ સ્ટેશન

 

                ડાકોર રણછોડજી મંદિરે તા.૧૭/૧/૧૩ ના રોજ રવિવાર હોય લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જે અંગે પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ માણસો ધ્વારા ખુબજ સારો બંદોબસ્‍ત થાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ દર્શનાર્થીઓ તેમના વાહનો મારફતે આવતા હોય તેઓને કોઇપણ પ્રકારની ટ્રાફિકની અવ્‍યવસ્‍થા ઉભી ન થાય જે અંગે વધારાના ટ્રાફીક પોઇન્‍ટ મુકવામાં આવેલ છે અને દર્શનાર્થીઓના નાના બાળકો તથા વૃધ્ધો દર્શન કરતી વખતે વિખુટા પડી જાય તો તેઓને મંદિરના કંન્‍ટ્રોલ રૂમમાંથી માઇક ધ્વારા એલાઉન્‍સ કરી જે તે મા-બાપ તથા સગા સબંધીઓને મળી રહે તથા પીકપોકેટીગ ના બનાવો ન બને  તે સારુ પ્‍લેન કલોથમાં પોલીસ માણસો મુકી આવા બનાવો બનતા અટકાવવી સારી કામગીરી કરેલ છે.

 

બાલાશિનોર પોલીસ સ્ટેશન

 

                તા.૫/૧૧/૧૩ ક.૧૬/૦૦ થી ૧૭/૦૦ દરમ્યાન બાલાસીનોર ખાતે હીન્દુ મુસ્લીમ કોમની આશરે-૯૦ જેટલી બહેનો રમાબેન રાઠોડ તથા નીરૂબેન પટેલ તથા હાજરાબીબી નાઓને ભાઇબીજ જીમીતે બાલાસીનોર પો.સ્ટે.ની મુલાકાત માટે લઇ આવતા પો.સ્ટે.ના વિવિધ ભાગો ની માહીતી પુરી પાડેલ જે અંગે સ્ટે.ડા.એ.નં.૯/૧૩ ક.૧૭/૧૦ વાગે નોધ કરેલ છે.

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન

                    તા.૧૩/૧૧/૨૦૧૩ ના રોજ કલાક ૧૭/૩૦ થી ૧૮/૦૦ સુધી નડીયાદ શહેરમાં મહોરમ તાજીયા નિમિત્તે નિકળનાર તાજીયાના જુલુસ અન્વયે તાજીયા કમીટીના આગેવાનની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ અને તાજીયા સમયસર લઇ જવા અંગે તેમજ તાજીયાના રૂટ દરમ્યાન તકેદારી રાખવા અંગે તથા વિસર્જન બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ તેમજ તા.૧૫/૧૧/૨૦૧૩ ના રોજ મહોરમના પર્વ નિમિત્તે નિકળનાર તાજીયાના જુલુસ શાંતિથી પસાર થાય તે બાબતે જરૂરી તકેદારીના પગલા તેમજ પોલીસનુ ફલેગ માર્ચ યોજવામાં આવેલ અને જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો તથા બંદોબસ્ત દરમ્યાન એક બાળક નામે રફીક ઉવ/૮ રહે. કણજરી તા. નડીયાદ નાઓ નો મહોરમના તાજીયા જોવા તેના માતા પિતા સાથે આવેલ જે ભીડમાં તેના માતા પિતાથી વિખુટો પડી જતાં જે સર્વેલન્સ પો.કો. અબ્દુલ સત્તાર હાસમમીયા બ.નં. ૬૩૪ નાઓને નડીયાદ સરદાર પ્રતિમા પાસેથી મળી આવતાં તેની સહાનુભુતિ પર્વક પુછપરછ કરી તેના માતા પિતાની માહિતી મેળવી નિકળેલ તાજીયાના જુલુસમાં તપાસ કરતાં નડીયાદ શક્કરકુઇ પાસેથી બાળકના માતા પિતા મળી આવતાં બાળકનો કબ્જો તેના માતા પિતાને સોપેલ.

                તેમજ તાજીયાના જુલુસ સંપન્ન થયા બાદ તાજીયા કમીટીના સભ્યો તથા આગેવાનોએ સમગ્ર પોલીસના

અધિકારીઓ તથા પોલીસના માણસોની આભાર વિધી કરી સારો બંદોબસ્ત જાળવવા બદલ અભિનંદન પાઠવેલ.